પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 : જાણો પાત્રતા, દસ્તાવેજ અને અરજી કરવાની સંપૂર્ણ વિગતવાર માહિતી

પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 : દરેક બાળકના સપનાને પૂરા કરવાનો એકમાત્ર સાધન છે – યોગ્ય શિક્ષણ. પરંતુ જ્યારે ઘરના આર્થિક સંજોગો મંજૂરી આપતા નથી, ત્યારે આ સપનામાં અવરોધો આવે છે. આવા સમયમાં કેન્દ્ર સરકારની પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આશાનું એક કિરણ બની છે. આ યોજના ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે, જે પછાત વર્ગ માંથી આવે છે અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માંગે છે. તો ચલો આ સ્કોલરશીપ વિશે સંપૂર્ણ માહિતી આ લેખ દ્વારા મેળવીશું. જેમ કે પાત્રતા ,જરૂરી દસ્તાવેજ અને કોણ અરજી કરી શકશે અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગત જાણીશું.

પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 શું છે ?

પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 એ ભારત સરકારની એક મહત્વકાંક્ષી યોજના છે, જેનું મુખ્ય હેતુ શૈક્ષણિક રીતે પ્રતિભાશાળી અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપી, વધુ અભ્યાસ માટે પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે. અને ખાસ કરીને OBC (અન્ય પછાત વર્ગો), EBC (આર્થિક રીતે પછાત વર્ગો) અને DNT ( બીન-સૂચિત, વિચરતી અને અર્ધ વિચરતી જાતિઓ) ના વિદ્યાર્થીઓ માટે લાગુ પડે છે.

પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 માટે અંદાજિત મહત્વ ની તારીખો :

  • અરજી શરૂ થવાની તારીખ : 11 જુલાઈ 2025 (અંદાજિત)
  • અરજી માટે છેલ્લી તારીખ : 10 ઓગસ્ટ 2025
  • એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ : 25 સપ્ટેમ્બર 2025
  • પરીક્ષા તારીખ (YASASVI Entrance Test) : 29 સપ્ટેમ્બર 2025
  • ફલિત (Result) જાહેર થવાની તારીખ : ઓક્ટોબર 2025 (અંદાજિત)

પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 ની મહત્વપૂર્ણ માહિતી :

ક્રમ  વિગત  માહિતી
1. યોજનાનું નામ પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025
2. શરૂઆત કરનાર સામાજિક ન્યાયને સશક્તિકરણ મંત્રાલય ભારત સરકાર
3. લખશે જૂથ OBC, EBC અને DNT વર્ગના વિદ્યાર્થીઓ
4. લાગુ પડે છે ધોરણ નવ થી 12 ના વિદ્યાર્થીઓ માટે
5. અરજી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન
6.  વેબસાઈટ scholarships.gov.in

આ વાંચો : JNVST ધોરણ 6 એડમિશન 2026 : નવોદય માં ફોર્મ કેવી રીતે ભરવું જાણો સંપૂર્ણ માહિતી, પાત્રતા અને તારીખો

સ્કોલરશીપ હેઠળ શું લાભ મળશે ?

  • ધોરણ 9-10 ના વિદ્યાર્થીઓને દર વર્ષે ₹75,000 ની રકમ
  • ધોરણ 11-12 ના વિદ્યાર્થીઓને દર વર્ષે ₹1,25,000 ની રકમ

પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 માટે પાત્રતા :

  1. ઉમેદવાર પાસે માન્ય આધારકાર્ડ હોવું જોઈએ.
  2. આ સ્કોલરશીપ OBC, EBC અને DNT વર્ગના વિદ્યાર્થીઓ માટે માન્ય છે.
  3. વિદ્યાર્થી ધોરણ નવ થી 12 સુધી કોઈ માન્ય શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  4. અગાઉના શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીનું પરિણામ સારો હોવો જોઈએ.
  5. વિદ્યાર્થીના પરિવારની કુલ વાર્ષિક આવક ₹2.5 લાખ થી ઓછી હોવી જોઈએ.
  6. આવક પ્રમાણપત્ર સરકારી સત્તાધિકારી દ્વારા જારી કરેલું હોવું જોઈએ.
  7. ધોરણ 9 ના વિદ્યાર્થીની ઉંમર મર્યાદામાં જન્મ તારીખ 1/4/2009 થી 31/03/2011 વચ્ચે હોવો જોઈએ.
  8. ધોરણ 11 ના વિદ્યાર્થીની ઉંમર મર્યાદામાં જન્મ તારીખ 01/04/2007 થી 31/0302009 વચ્ચે હોવો જોઈએ.
  9. અરજીકર્તાએ માત્ર National scholarship portal (NSP) પર જ અરજી કરવી પડશે.

પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 માટે જરૂરી દસ્તાવેજો :

  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર
  • આવક પ્રમાણપત્ર
  • રહેણાંક પ્રમાણપત્ર (જોઈએ તો)
  • શાળાની દાખલ ની રસીદ અથવા ઓળખપત્ર
  • ગયા વર્ષનું માર્કશીટ
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

પીએમ યશસ્વી સ્કોલરશીપ 2025 માટે અરજી પ્રક્રિયા :

  1. સૌપ્રથમ “National Scholarship Portal” પર જાઓ. scholarships.gov.in
  2. પછી “New Registration” બટન પર ક્લિક કરો.
  3. પછી તમારું નામ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર અને માહિતી ભરી લોગીન કરો.
  4. લોગીન થયા બાદ તમને યુઝર આઇડી અને પાસપોર્ટ મળશે.
  5. ત્યાર પછી “Apply For Scholarship” વિભાગમાં જાઓ.
  6. પછી “yashasvi Central sector scheme of top class education” પસંદ કરો.
  7. તમારી શૈક્ષણિક અને વ્યક્તિગત માહિતી ભરો.
  8. પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  9. સંપૂર્ણ વિગત ભર્યા બાદ તમારી વિગત એક વાર ચેક કરો.
  10. અંતમાં અરજી ની “Submit” કરો અને તમારિ application ID સાચવી રાખો.

Leave a Comment